Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : સ્વાગત સોસાયટીમાં તસ્કરોનું "સ્વાગત", મકાનમાંથી રૂ. ૩.૩૦ લાખ રોકડની ચોરી…

તસ્કરોએ દરવાજો કે, નકુચા તોડ્યા વિના જ મકાનમાં પ્રવેશ કરી અંદાજીત રૂપિયા ૩.૩૦ લાખ રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા

અંકલેશ્વર : સ્વાગત સોસાયટીમાં તસ્કરોનું સ્વાગત, મકાનમાંથી રૂ. ૩.૩૦ લાખ રોકડની ચોરી…
X

ભરૂચ જિલ્લા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી સ્વાગત સોસાયટીના એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાનમાં રહેલા સામાનને વેરવિખેર કર્યા વિના જ રોકડ રકમ મળી અંદાજીત રૂપિયા ૩.૩૦ લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી સ્વાગત સોસાયટીમાં રહેતા રાકેશ પટેલ ખેતીવાડી બજાર ખાતે ખેતી લાયક એગ્રો પ્રોડક્ટનો વેપાર કરે છે.

જેઓના મકાનને ગતરોજ રાત્રે તસ્કરો નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ દરવાજો કે, નકુચા તોડ્યા વિના જ મકાનમાં પ્રવેશ કરી અંદાજીત રૂપિયા ૩.૩૦ લાખ રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે મકાન માલિકે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ચોરી અંગેની ફરિયાદ નોંધી ડોગ સ્કોર્ડની મદદ લઈ તપાસ હાથ ધરી હતી. જોકે, કોઈ જાણભેદુએ જ મકાનમાં ચોરીની ઘટનાને અજામ આપ્યો હોવાનો પોલીસે અનુમાન લગાવ્યું છે.

Next Story