Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: વાલિયા ચોકડી નજીક ટ્રકની અડફેટે બાઇક સવાર દંપત્તિ પૈકી પત્નીનું મોત

વાલિયા ચોકડી નજીક ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા દંપતી પૈકી પત્નીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું જયારે પતિને ઈજાઓ પહોંચી હતી.

અંકલેશ્વર: વાલિયા ચોકડી નજીક ટ્રકની અડફેટે બાઇક સવાર દંપત્તિ પૈકી પત્નીનું મોત
X

અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા દંપતી પૈકી પત્નીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું જયારે પતિને ઈજાઓ પહોંચી હતી.

સુરતના પરવત પાટિયા સ્થિત અંબિકા નગર ખાતે રહેતા પીન્કેશકુમાર સોલંકીના પિતા નરેશભાઈ પોતાની મોટર સાઇકલ નંબર-જી.જે.05.કે.ટી.5410 લઇ પત્ની જ્યોત્સનાબેન સાથે અંકલેશ્વર ખાતે રહેતા તેઓના સંબંધીને મળવા આવ્યા હતા જેઓ ગતરોજ સાંજે 6 કલાકે અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક વાલિયા તરફ જવાના માર્ગ ઉપર પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ ટ્રક નંબર-જી.જે.16.ઝેડ.4744 ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં દંપતી પૈકી પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

જયારે પતિને ઈજાઓ પહોંચી હતી અકસ્માત અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ માર્ગ ઉપર દોડતા ભારે વાહનો ઉપરાંત સરકારી એસ.ટી.બસના ચાલકો પણ આડેધડ વાહન હંકારતા હોવાથી અકસ્માતની ઘટનામાં વધારો થયો છે ત્યારે પોલીસ તંત્ર પગલાં ભરે તે અત્યંત જરૂરી છે.

Next Story