Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: માનવ મંદિરના ગેટ નજીકથી બે ઈસમો ભરૂચની SVMIT કોલેજના આચાર્યની બેગની ચોરી કરી ફરાર

ભરૂચની એસ.વી.એમ.આઈ.ટી કોલેજના પ્રિન્સિપાલની બેગમાં રહેલ લેપટોપ અને રોકડા રૂપિયા 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી બાઈક પર આવેલ ચાર ઈસમો ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વર: માનવ મંદિરના ગેટ નજીકથી બે ઈસમો ભરૂચની SVMIT કોલેજના આચાર્યની બેગની ચોરી કરી ફરાર
X

અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર માનવ મંદિરના ગેટ પાસે ભરૂચની એસ.વી.એમ.આઈ.ટી કોલેજના પ્રિન્સિપાલની બેગમાં રહેલ લેપટોપ અને રોકડા રૂપિયા 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી બાઈક પર આવેલ ચાર ઈસમો ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર આવેલ મીરા માધવ રેસીડેન્સીમાં રહેતા દિપક અશોક દેવરે છેલ્લા અગિયાર વર્ષથી ભરૂચની એસ.વી.એમ.આઈ.ટી.કોલેજમાંપ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે જેઓ ગતરોજ સાંજે કોલેજ ખાતેથી પોતાની કાર નંબર-જી.જે.16.સી.એન.2849 લઇ અંકલેશ્વરની પ્રાટીન ચોકડી પાસે વી.પટેલ આંગણિયા પેઢીમાંથી રોકડા 92 હજારથી વધુની રકમ લઇ પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર માનવ મંદિરના ગેટ પાસે પાછળથી સ્પોર્ટ બાઈક આવતા પાછળ બેઠેલ ઈસમે તેને વાગ્યું હોવાની ઈશારો કરતા આચાર્યએ તેઓની કાર માર્ગની બાજુમાં ઉભી કરી વાતચીત કરતા હતા.

તે દરમિયાન અન્ય સ્પોર્ટ બાઈક પર આવેલ બે ઈસમો આચાર્યની કારનો દરવાજો ખોલી રૂપિયા 92 હજારથી વધુની રકમ અને લેપટોપ મળી 1 લાખના મુદ્દામાલની ચોરી કરી બે બાઈક પર આવેલ ચારેય ઈસમો અલગ અલગ દિશામાં ફરાર થઇ ગયા હતા ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Next Story