Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઝઘડીયાના ઉમલ્લાથી 52 ગજની ધ્વજા સાથે ૭૫ પદયાત્રીઓ રથ સાથે અંબાજી જવા રવાના

ભાદરવી પૂર્ણિમાએ જગત જનની માં અંબાના પ્રાગટય દિવસના દર્શન કરવા સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ ચાલીને જાય છે

ભરૂચ: ઝઘડીયાના ઉમલ્લાથી 52 ગજની ધ્વજા સાથે ૭૫ પદયાત્રીઓ રથ સાથે અંબાજી જવા રવાના
X

ભાદરવી પૂર્ણિમાએ જગત જનની માં અંબાના પ્રાગટય દિવસના દર્શન કરવા સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ ચાલીને જાય છે ત્યારે ભરૂચ જિલ્લાના માર્ગો ઉપર હજારો પદયાત્રીઓ માતાજીના રથ લઇ અંબાજી જવા નીકળતા જિલ્લાના માર્ગો પદયાત્રીઓથી ઉભરાયા છે.બોલ માડી અંબે જય જય અંબેના નાદથી રસ્તાઓ ગૂંજી ઉઠ્યા છે.

ભાદરવી પૂર્ણિમાએ જગત જનની મા અંબાનો પ્રાગટય દિવસ મનાય છે . માતાજીના પ્રાગટય દિવસે સમગ્ર રાજ્યમાંથી લાખ્ખોની સંખ્યામાં પદયાત્રીઓ પગે ચાલીને માં ના ચરણે શીશ નમાવવા જાય છે.જગત જનની મા અંબાજી પ્રત્યે અતુટ શ્રદ્ધા ધરાવતા ભક્તો દ્વારા ઉમલ્લાથી અંબાજી સુધી પદયાત્રાનું આયોજન કરાતા ઝઘડિયા તાલુકાના અલગ - અલગ ગામેથી માના ભક્ત પરીમલ પટેલની આગેવાનીમા કુલ ૭૫ પદયાત્રીઓ આજે ઉમલ્લાથી અંબાજી ધામ જવા રવાના થયા હતા.ઉમલ્લાથી અંબાજીની રથયાત્રા ૧૮ વર્ષથી ચાલે છે અને હાલ આ ૧૯મુ વર્ષ છે જેમાં ઝઘડિયા તાલુકાના અલગ - અલગ ગામેથી ૭૫ જેટલા પદયાત્રીઓ રથમા જોડાયા છે.ઉમલ્લાથી અંબાજી 52 ગજની ધજા લઈને અંબાજી જાય છે અને આ 52 ગજની ધ્વજા તેરસના દિવસે મંદિરના શિખર પર ચડાવવામાં આવે છે.ઉમલ્લાથી અંબાજી અંદાજીત 405 કિલોમીટરનું અંતર થાય છે અને ઉમલ્લાથી અંબાજી રથયાત્રા પહોંચતા કુલ ૧૨ થી ૧૪ દિવસ લાગે છે. મા અંબાજીના દરબારમાં પહોંચી શ્રદ્ધાપૂર્વક માતાને વંદન કરશે

Next Story