Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પાલેજની એક ફર્નિચરની દુકાનમાં ભીષણ આગ લાગી, આગમાં લાખોનું નુકસાન

લાગેલી ભીષણ આગમાં દુકાનમાં રહેલા સોફા સેટ તથા અન્ય વીજ વસ્તુઓ સંપૂર્ણ સળગી જવા પામી હતી.

ભરૂચ : પાલેજની એક ફર્નિચરની દુકાનમાં ભીષણ આગ લાગી, આગમાં લાખોનું નુકસાન
X

ભરૂચ જિલ્લાના પાલેજ નગરમાં આવેલી એક ફર્નિચરની દુકાનમાં સવારે આગ લાગતા ભારે અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ ખાતે રહેતા જાવેદ જમાદાર જેઓની રેલવે સ્ટેશન સામે ફર્નિચરની દુકાન આવેલી છે. જે દુકાનમાં સવારના સમયે શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી. લાગેલી ભીષણ આગમાં દુકાનમાં રહેલા સોફા સેટ તથા અન્ય વીજ વસ્તુઓ સંપૂર્ણ સળગી જવા પામી હતી. લાગેલી ભીષણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

આગના પગલે કાળા ધુમાડાના ગોટેગોટા ઉંચે આકાશ તરફ જતા નજરે પડયા હતા. સ્થાનિકોએ આગ પર પાણીનો મારો ચલાવી તેમજ ટેન્કરની મદદ વડે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. દુકાન માલિક જાવેદ જમાદારે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે, 'સવારે ૯.૩૦ વાગ્યાની આસપાસ મારી દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી.' તેઓના જણાવ્યા પ્રમાણે લાગેલી ભીષણ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. સદનસીબે કોઇ જાનહાની ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Next Story