Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ડો.બાબા સાહેબ આંબેડકરના મહા પરિનિર્વાણ દિન નિમિત્તે રેલીનું કરાયું કરાયું આયોજન

ભારત બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભરૂચમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

X

ભારત બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભરૂચમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડો.બાબા સાહેબ આંબેડકરના મહાપરીનિર્વાણ દિન નિમિત્તે ભરૂચના સ્ટેશન રોડ સ્થિત બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે મોટી સંખ્યામાં લોકો પુષ્પાંજલિ માટે ઉમટ્યા હતા ત્યારે ભરૂચના ઝાડેશ્વર સાઈ મંદિરના ગ્રાઉન્ડ પરથી સ્વયંમ સૈનિક દળ દ્વારા રેલીનું પ્રસ્થાન થયું હતું જે જ્યોતિ નગર મકતમપૂર રોડ અને કસક થઈ સ્ટેશનથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે મહાસલામી આપી રેલીનું સભામાં રૂપાંતર થયું હતું જેમાં ડો.બાબા સાહેબ દ્વારા કરવામાં આવેલ કામોને યાદ કરવામાં આવ્યા હતા.

તો આ તરફ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભરૂચના રેલ્વે સ્ટેશન ખાતે આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે ભાજપના આગેવાન રમેશ મિસ્ત્રી, ધારાસભ્ય દુષ્યંત પટેલ, અરુણસિંહ રણા ,વિરલ પટેલ, નગર પાલિકાના પ્રમુખ અમિત ચાવડા સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story