Connect Gujarat
ભરૂચ

ભરૂચ : કારગિલ વિજય દિવસ નિમિત્તે ઝઘડીયા તાલુકા AAPના કાર્યકરોએ શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી

ભરૂચ : કારગિલ વિજય દિવસ નિમિત્તે ઝઘડીયા તાલુકા AAPના કાર્યકરોએ શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી
X

આજે તા. 26મી જુલાઇ કારગિલ વિજય દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના ઝઘડીયા ગામે આમ આદમી પાર્ટી દ્વારા 2 મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

ઈ.સ. 1999માં ભારતીય સેનાના જવાનોએ કારગીલ યુધ્ધમાં વિજય મેળવી હતી, ત્યારે આ યુદ્ધમાં ભારતીય સેનાના કેટલાક જવાનો શહીદ પણ થયા હતા. આ શહીદોના બલિદાન બાદ ભારતીય સેના કારગીલ યુધ્ધમાં વિજય મેળવી હતી. માટે તા. 26મી જુલાઇને કારગીલ વિજય દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. દેશભરમાં આ દિવસની કારગિલ વિજય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે શહીદોને યાદ કરી શ્રધ્ધાંજલી પાઠવવામાં આવે છે, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડીયા ગામના ચાર રસ્તા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા 2 મિનિટનું મૌન પાળી શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી.

Next Story