Connect Gujarat
ભરૂચ

ભરૂચ: આમોદના સંતરામ બાવાના મંદીરે પરંપરાગત મેળો યોજાયો

ભરૂચ: આમોદના સંતરામ બાવાના મંદીરે પરંપરાગત મેળો યોજાયો
X

આમોદના ટેલીફોન કેન્દ્ર નજીક આવેલ સંતરામ બાવાના મંદીરે વર્ષોથી પરંપરાગત થતો નોમના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મેળામાં આમોદ તેમજ આસપાસના ગામના લોકો મોટી સંખ્યામા ઉમટી પડયા હતા અને મેળો મહાલવાની મજા માણી હતી.


હીન્દુ સમાજની આસ્થા ધરાવતા એવા સંતરામ બાવાના મંદીરે ગામ લોકો નોમની સંધ્યાકાળની આરતી સમયે ઉમટી પડયા હતા.આરતીમા મુખ્ય અતિથી તરીકે નાહીયેરના ગુરુકુળ મંદીરના ડી.કે સ્વામીએ હાજરી આપી હતી.

Next Story