ભરૂચ : ખેડૂતોની સમસ્યાના નિરાકરણ મામલે ભારતીય કિસાન સંઘ દ્વારા વાગરા મામલતદાર કચેરીએ આવેદન પત્ર પાઠવાયું...
કિસાન સંગઠને રાજ્યપાલને સંબોધીને ખેડૂતોના પ્રશ્નોને વાંચા આપવા વાગરા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ખેડૂતોની સમસ્યાઓના કાયમી નિકાલ થાય તે અર્થે તેઓએ ભારતીય કિસાન સંઘના દ્વારા ખટખટાવ્યા છે. કિસાન સંગઠને રાજ્યપાલને સંબોધીને ખેડૂતોના પ્રશ્નોને વાંચા આપવા વાગરા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
વાગરા તાલુકામાં ઉદ્યોગ નગરી તરીકે સુવિખ્યાત બન્યો છે. જેને પગલે તાલુકાને ફાયદો તો થયો છે. પરંતુ તેના ગેરલાભની અસર સ્થાનિકો સાથે ખેતી ઉપર પણ થઈ રહી છે. તો બીજી તરફ સરકાર ખેડૂતોની વિવિધ સમસ્યાઓનો જળમૂળમાંથી નિકાલ કરે એ તરફ ખેડૂતો આશ રાખીને બેઠા છે. અનેક તકલીફોથી ઘેરાયેલા જગતના તાતે ભારતીય કિસાન સંઘના માધ્યમથી રાજ્યપાલને સંબોધી વાગરા નાયબ મામલતદાર પુરવઠાને આવેદન પત્ર પાઠવ્યું હતું.
જોકે, ખેડૂતોએ પાઠવેલ આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, સમાન સિંચાઈ દૂર કરવામાં આવે, વિજળીમાં ફિક્સ ચાર્જ નાબૂદ કરી હોર્સપાવર આધારિત વીજળી આપવામાં આવે, રિસર્વેમાં ખેડૂતોને થતી હેરાનગતિનો નિકાલ ત્વરિત કરવામાં આવે, વાગરા તાલુકામાં કુદરતી અને માનવ સર્જિત આફતથી થયેલ નુકશાની સામે વળતર ચૂકવવા તેમજ વાગરા ખાતે મબલક પ્રમાણમાં ઉત્પાદન થતા અર્ધ શિયાળુ મગનું રજીસ્ટ્રેશન ચાલુ કરી ખરીદી કરવાની આવેદન પત્રમાં માંગ કરવામાં આવી છે. સાથે જ તાલુકામાં આવેલ ઉદ્યોગોના પ્રદુષણને નાથી ખેડૂતોને ઉગારવાની માંગ કરતું આવેદન ભારતીય કિસાન સંઘ દ્ધારા પાઠવવામાં આવ્યું હતું.
અંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTરૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMT
આણંદ: સોજીત્રા ગામે ભયંકર અકસ્માત 5 લોકોના મોત, કાર,બાઈક અને રીક્ષા...
11 Aug 2022 4:20 PM GMTઅમદાવાદ : ભાઈ વિનાની બહેનો માટે વટવા પોલીસની પહેલ, જુઓ રક્ષાબંધનના...
11 Aug 2022 1:21 PM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMTશ્રાવણી પુનમ નિમિત્તે સુરત અને ભરૂચમાં ભુ દેવોએ ધારણ કર્યા નવા...
11 Aug 2022 11:50 AM GMTસુરત : રક્ષાબંધન પર્વને લઈ સુરત મનપાની બહેનોને ભેટ, BRTS અને સીટી...
11 Aug 2022 11:44 AM GMT