ભરૂચ: અંકલેશ્વરના વિંધેશ્વરી પેટ્રોલિયમ ખાતે 551 તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું
BY Connect Gujarat15 Aug 2021 7:22 AM GMT
X
Connect Gujarat15 Aug 2021 7:22 AM GMT
ભરૂચના અંકલેશ્વર ખાતે આવેલ વિંધેશ્વરી પેટ્રોલિયમ દ્વારા સ્વતંત્ર પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 551 તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની જીવલેણ મહામારી ચાલી રહી છે. ત્યારે લોકો પણ હવે આયુર્વેદ તરફ વળ્યા અને તુલસીના છોડ તેમજ અન્ય ઔષધિ વનસ્પતિની માંગ વધી રહી છે. ત્યારે આજરોજ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર ખાતે આવેલ શ્રી વિંધેશ્વરી પેટ્રોલિયમ દ્વારા નવતર અભિગમ અપનાવામાં આવ્યો હતો. જેમાં પેટ્રોલ પંપ દ્વારા 551 તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમ્યાન પંપના માલિક સુમિત પાંડે, ભારતીય રેલ્વેના કમિટી સભ્ય અને સામાજિક આગેવાન અનુરાગ પાંડે, પોલીટેક કોટિંગ્સના MD સંતોષ પ્રધાન અને ગ્લેનમાર્ક કંપનીના SAP મેનેજર પ્રવીણ વાબલે હજાર રહ્યા હતા.
Next Story