Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ભારતીય જનતા યુવા મોરચા દ્વારા બાઈક રેલી યોજાય, ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું..

ભારતીય જનતા યુવા મોરચા દ્વારા તા. 6થી 9 એપ્રિલ સુધી ભરૂચ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠક વિસ્તારમાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે

ભરૂચ : ભારતીય જનતા યુવા મોરચા દ્વારા બાઈક રેલી યોજાય, ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું..
X

ભરૂચ શહેર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચા દ્વારા તા. 6થી 9 એપ્રિલ સુધી ભરૂચ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠક વિસ્તારમાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ભારતીય જનતા યુવા મોરચા (ભરૂચ શહેર) દ્વારા આયોજીત ભવ્ય બાઇક રેલી ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં નીકળી હતી.

આ બાઇક રેલી શ્રવણ ચોકડીથી પ્રસ્થાન થઈ શક્તિનાથ સર્કલ, પાંચબત્તી સર્કલ, રેલ્વે સ્ટેશન સર્કલ, કસક સર્કલ થઈ ભોલાવ સર્કિટ હાઉસ ખાતે સમાપન કરાય હતી. સ્વાતંત્ર સેનાનીઓના સન્માન સમી "આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા" સંદર્ભે ભારતીય જનતા યુવા મોરચા (ભરૂચ શહેર) દ્વારા યોજાયેલ બાઇક રેલીનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ શહેર ભાજપ યુવા પ્રમુખ રૂષભ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિત ભરૂચ શહેર ભાજપ યુવા મોરચાના સદસ્યો તેમજ મોટી સંખ્યામાં યુવા કાર્યકરો ઉપસ્થિત રહી બાઈક રેલીને સફળ બનાવી હતી.

Next Story