Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ભાજપ દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત 21 બાળકીઓને ₹ 1 હજારનું ખાતુ ખોલાવી આપવામાં આવ્યું

બાળકીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની "સુકન્યા સમૃદ્ધિ યોજના"નો લાભ અપાવવા આયોજન કરવામાં આવ્યું

ભરૂચ: ભાજપ દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત 21 બાળકીઓને ₹ 1 હજારનું ખાતુ ખોલાવી આપવામાં આવ્યું
X

ભરૂચ જિલ્લાની સામાજિક કાર્યોમાં અગ્રણી સંસ્થા અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા એક સર્વે કરાયો હતો જેમાં ભરૂચ ભાજપા દ્વારા 1000 બાળકીઓ માટે 10 લાખની રકમ ફાળવવામાં આવી છે. જેમાં 10 વર્ષથી નીચેની દિવ્યાંગ બાળકીઓ, કોરોનામાં માતાપિતા ગુમાવ્યા હોઈ એવી બાળકીઓ, આર્થિક રીતે નબળા પરિવારની બાળકીઓ તેમજ માતા અથવા પિતા ગુમાવ્યા હોઈ તેવી બાળકીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની "સુકન્યા સમૃદ્ધિ યોજના"નો લાભ અપાવવા આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજરોજ પ્રથમ બેચમાં 21 બાળકીઓને આ યોજનાનો લાભ ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારના હસ્તે આપવામાં આવ્યો હતો. 2022માં પી.એમ.મોદીના 17મી સપ્ટેમ્બરના રોજ 72મા જન્મદિવસ સુધી વધુમાં 7200 જેટલી બાળકીઓને લાભ આપવાના પ્રસાયો કરવામાં આવશે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા,મંત્રી નિશાંત મોદી, ભરૂચ નગર પાલિકાના પ્રમુખ અમિત ચાવડા, બક્ષીપંચ મોરચના પ્રદેશ કારોબારી સભ્ય કેતન ભાલોદવાલા સહિત અસ્મિતા વિકાસ કેન્દ્રના પ્રમુખ યશવંત પટેલ, મેનેજીંગ ટ્રસ્ટી સમીર પટેલ, આચાર્ય મનીષા ત્રિવેદી અને રાજેન્દ્ર પારેખ સહિત 21 બાળકીઓના વાલીઓએ હાજરી આપી હતી.

Next Story