Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વટારીયા સુગરના ચેરમેન સંદિપ માંગરોલા વિરૂધ્ધ 85 કરોડ રૂપિયાની ઉચાપતની ફરિયાદ

ભરૂચ : વટારીયા સુગરના ચેરમેન સંદિપ માંગરોલા વિરૂધ્ધ 85 કરોડ રૂપિયાની ઉચાપતની ફરિયાદ
X

ભરૂચના સહકારી રાજકારણમાં હડકંપ મચાવી દેતી એક પોલીસ ફરિયાદ વાલિયા પોલીસ સ્ટેશનમાં નોંધાય છે. કોંગ્રેસના આગેવાન તથા વટારીયા સુગર ફેકટરીના ચેરમેન સંદિપ માંગરોલા વિરૂધ્ધ એક સભાસદે 85 કરોડ રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાવી છે.

ભરૂચ જિલ્લામાં સહકારી રાજકારણમાં ભુકંપ આવી ગયો છે. કોંગ્રેસના આગેવાન અને વટારીયા સુગર ફેકટરીના ચેરમેન સંદિપ માંગરોલા વિરૂધ્ધ ઉચાપતની ફરિયાદ નોંધાય છે અને આ ફરિયાદ સુગર ફેકટરીના સભાસદ પુષ્પેન્દ્રસિંહ સુણવાએ નોંધાવી છે. વાલિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, વટારીયા સુગર ફેકટરીના ચેરમેન સંદિપ ઉર્ફે સુરજીતસિંહ માંગરોલા તથા અન્ય આરોપીઓએ ખેડુતોના નાણા અંગત સ્વાર્થ માટે વાપરીને સુગર ફેકટરી સાથે આશરે 85 કરોડ રૂપિયાની છેતરપીંડી કરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ 2008-09 અને 2019-20ના સમયગાળામાં સુગર ફેકટરીના ચેરમેન સંદિપ માંગરોલાએ ખાંડ તથા મોલાસીસનું વેચાણ પોતાની અંગત પેઢી મારફતે કરી સંસ્થા સાથે છેતરપીંડી કરી છે.

સુગર ફેકટરીને ખાંડ કે મોલાસીસના જે ઓર્ડર મળે તેની પુરેપુરી રકમ એડવાન્સમાં લેવાની હોય છે અથવા પુરેપુરી રકમ સંસ્થાના બેંક ખાતામાં આરટીજીએસ કરવાની હોય છે પણ ચેરમેન સંદિપ માંગરોલા તથા તેમના મળતિયાઓએ આ રકમ તેમના અંગત બેંક ખાતાઓમાં જમા કરાવી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચેરમેને પોતાના હોદ્દાનો દુરઉપયોગ કરી લોન આપવામાં પણ ગેરરીતી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ તો વાલિયા પોલીસ ફરિયાદ સંદર્ભમાં વધુ તપાસ કરી રહી છે. આ કેસમાં ટુંક સમયમાં સંદિપ માંગરોલા પણ તેમની પ્રતિક્રિયા આપવા જઇ રહયાં છે.

Next Story