Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડિયા ITIના કર્મચારીઓએ પડતર પ્રશ્ને મામલતદારને આવેદન પત્ર આપ્યું…

આવેદનમાં રજૂ કરાયેલ તેમની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા અરજ કરી હતી.

ભરૂચ : ઝઘડિયા ITIના કર્મચારીઓએ પડતર પ્રશ્ને મામલતદારને આવેદન પત્ર આપ્યું…
X

ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે આઇટીઆઇના કર્મચારીઓ દ્વારા ઝઘડિયા મામલતદારને તેમની પડતર માંગણીઓ બાબતે આવેદન આપ્યુ હતું, અને આવેદનમાં રજૂ કરાયેલ તેમની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા અરજ કરી હતી.

ગુજરાત રાજ્ય કારીગર તાલિમ યોજના કર્મચારી મંડળ વર્ગ-૩ના નેજા હેઠળ અપાયેલ આવેદન પત્રમાં કર્મચારીઓએ તેમની પડતર માંગણીઓ બાબતે રજૂઆત કરી હતી. આવેદનમાં જણાવાયા મુજબ, આઇટીઆઇના ઇન્સ્ટ્રકટરોનું પગાર ધોરણ દરેક રાજ્યોમાં એકસરખો કરવા દરેક રાજ્યોના શ્રમ અને રોજગાર વિભાગોને સુચિત કરેલ છે. અન્ય વિભાગોના સમકક્ષ કર્મચારીઓને આ અંગે જે લાભ મળે છે, તે મુજબ ગુજરાત રાજ્યની આઇટીઆઇના ઇન્સ્ટ્રકટર અને આસિસ્ટન્ટ સ્ટોર કિપરના પગાર ધોરણમાં સુધારો કરવા માંગણી કરવામાં આવી હતી.

આ ઉપરાંત રોજગાર અને તાલિમ ખાતામાં ૨૦૨૧માં નિમણૂંક પામેલા સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરના પ્રથમ બે વર્ષ ઉચ્ચક માનદ વેતન રૂ. ૪૫૦૦ મુજબ અજમાયશી નોકરીનો સમયગાળો ગણેલ હતો, જ્યારે ૨૦૨૧માં જે સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરોની કૌશલ્ય સહાયક તરીકે નિમણૂંક કરેલ હતી, તેઓને અજમાયશી સમયના બે વર્ષ સળંગ ગણેલ નથી, તેથી આઇટીઆઇના આ સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરોને પ્રથમ બે વર્ષનો અજમાયશી સમયગાળો સળંગ ગણીને ઉચ્ચતર પગારધોરણનો લાભ આપવા આવેદનમાં રજૂઆત કરવામાં આવી હતી. કર્મચારીઓ દ્વારા તેમના પડતર પ્રશ્નો બાબતે સકારાત્મક ઉકેલ લાવવામાં આવે તેવી માંગ આવેદન પત્રમાં કરવામાં આવી હતી.

Next Story