ભરૂચ: ઝઘડિયાના ભાલોદ ગામે મકાનમાં ભીષણ આગ,9 લોકો દાઝી ગયા
ભરૂચના ઝઘડિયા તાલુકાના ભાલોદ મકાનમાં એકાએક આગ ફાટી નિક્ળતા દોડધામ મચી જવા પામી હતી.
BY Connect Gujarat1 Feb 2023 6:45 AM GMT
X
Connect Gujarat1 Feb 2023 6:45 AM GMT
ભરૂચના ઝઘડિયા તાલુકાના ભાલોદ મકાનમાં એકાએક આગ ફાટી નિક્ળતા દોડધામ મચી જવા પામી હતી. આગની આ ઘટનામાં 9 લોકો દાઝી જતા તેઓએને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ તરસાલી ગામે એક મકાનમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગની ઘટના બનતા ગ્રામજનો દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.ગ્રામજનોએ એકત્રિત થઈ રેતી તેમજ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો ત્યાર બાદ ભારે જેહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.આગની ઘટનામાં ઘરમાં રહેલા 9 લોકો દાઝી જતા તેઓએને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી .
Next Story