ભરૂચ : ઝાડેશ્વર-કબીરધામ ખાતે મહિલાઓને સાડી વિતરણના કાર્યક્રમનું આયોજન કરાયું
BY Connect Gujarat30 July 2021 10:57 AM GMT
X
Connect Gujarat30 July 2021 10:57 AM GMT
સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચ દ્વારા શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત દુબઇ ટેકરી આવેલ કબીરધામ ખાતે મહિલાઓને સાડી વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ દુબઇ ટેકરી સ્થિત કબીરધામ ખાતે સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચ તથા રોટરી કોમ્યુનિટી કોર્પ્સના સંયુક્ત ઉપક્રમે મહિલાઓને સાડી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે રોટરી કોમ્યુનિટી કોર્પ્સના પ્રમુખ, કબીરધામના સભ્યો તેમજ સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિ પટેલના હસ્તે જરૂરિયાતમંદ પરિવારની મહિલાઓને સાડી વિતરણ કરવામાં આવી હતી.
Next Story