ભરૂચ: પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સરકારી કચેરીઓ પર લાઇટિંગનો ઝગમગાટ
પ્રજાસત્તાક દિનના ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ભરૂચ -અંકલેશ્વર વહીવટીતંત્ર દ્વારા શહેરના મુખ્ય કચેરીઓ પર લાઇટિંગની ઝગમહાટ કરવામાં આવી.
BY Connect Gujarat25 Jan 2022 4:46 PM GMT
X
Connect Gujarat25 Jan 2022 4:46 PM GMT
પ્રજાસત્તાક દિનના ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ભરૂચ -અંકલેશ્વર વહીવટીતંત્ર દ્વારા શહેરના મુખ્ય કચેરીઓ પર લાઇટિંગની ઝગમહાટ કરવામાં આવી છે.
પ્રજાસત્તાક દિન ૨૬ જાન્યુઆરી, ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ઇ.સ. ૧૯૫૦માં ભારતનું બંધારણ અમલમાં આવ્યુ હતુ અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યો હતો.તે કારણથી દેશભરમાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવતો હોય છે. ભારત દેશને 200 ઉપરથી અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ મળી ને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ હતી.જેના ભાગરૂપે ભરૂચ અને અંકલેશ્વર ખાતે સરકારી કચેરીઓ અને મુખ્ય માર્ગ પર આવેલા સર્કલ સહિતની ઇમારતોને રોશનીની ઝગમગાટ થી રોશન કરી દેવામાં આવ્યા છે.
Next Story