ભરૂચ : આમોદ શિવ શક્તિ પદયાત્રા સંઘ બુવાથી અંબાજી જવા થયો રવાના
શિવ શક્તિ પદયાત્રા સંઘ બુવા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આમોદ તાલુકાના બુવાથી અંબાજી પદયાત્રાનું આયોજન
BY Connect Gujarat8 Nov 2021 5:40 AM GMT
X
Connect Gujarat8 Nov 2021 5:40 AM GMT
શિવ શક્તિ પદયાત્રા સંઘ બુવા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આમોદ તાલુકાના બુવાથી અંબાજી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં પદયાત્રીઓ સાથે જમવા રહેવાની વ્યવસ્થા સાથે સેવાની તમામ સગવડ સાથે આજે બુવાથી પદયાત્રા સંઘ અંબાજી જવા રવાના થયો હતો. શિવ શક્તિ પદયાત્રા સંઘ દ્વારા છેલ્લા 18 વર્ષથી પદયાત્રાનું આયોજન કરાય છે. આ કાર્યમાં વધુમાં વધુ આર્થિક પરિસ્થિતિ નબળી હોય એવા અંબે માંના ભક્તોને લાભ આપવામાં આવે છે. દર વર્ષે પદયાત્રા દરમિયાન ઘણા બધા યુવાનો વ્યસન મુક્તિનો સંકલ્પ લઈ પોતાનું જીવન સુધારે છે. પદયાત્રામાં સહકાર આપનાર સૌ અંબે માંના ભક્તોનો શિવ શક્તિ પદયાત્રા સંઘ આભાર વ્યક્ત કર્યો હતો.
Next Story