ભરૂચ: ઝઘડિયાની રેવા રેસિડેન્સીમાં તસ્કરો ત્રાટક્યા,બંધ મકાનમાંથી રૂ.6 લાખના માલમત્તાની ચોરી
બેડરૂમની તિજોરીનું તાળું તોડી અંદરથી સોના ચાંદી દાગીના અને લેપટોપ મળી રૂપિયા 6 લાખથી વધુની કિમતના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
BY Connect Gujarat Desk10 Oct 2021 10:28 AM GMT
X
Connect Gujarat Desk10 Oct 2021 10:28 AM GMT
ઝઘડિયાની રેવા રેસિડેન્સીમાં રહેતા ચંન્દ્રીકાબેન પોતાના પરિવાર સાથે તા ૦૫-૧૦- ૨૦૨૧ના રોજ મકાન બંધ કરી રાજપીપળા ગયા હતા એ દરમ્યાન અજાણ્યા ઇસમો તેમના મકાનમાં પ્રવેશ્યા હતા અને બેડરૂમની તિજોરીનું તાળું તોડી અંદરથી સોના ચાંદી દાગીના અને લેપટોપ મળી રૂપિયા 6 લાખથી વધુની કિમતના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ઝઘડીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
Next Story