Connect Gujarat
ભરૂચ

ભરૂચ: વાલિયાના ચંદેરિયા ખાતે મહાત્મા જ્યોતિબા ફુલેની પ્રતિમા નિર્માણ પામશે

સ્ત્રી શિક્ષણની ચળવળનો પાયો નાખનાર જ્યોતિબા ફુલેની આજે જન્મ જયંતી હોય ચંદેરિયા ખાતે જન્મ જયંતિ નિમિત્તે છોટુ વસાવાના હસ્તે સ્ટેચ્યુનું ખાત મૂહર્ત કરવામાં આવ્યુ,

ભરૂચ: વાલિયાના ચંદેરિયા ખાતે મહાત્મા જ્યોતિબા ફુલેની પ્રતિમા નિર્માણ પામશે
X

સ્ત્રી શિક્ષણની ચળવળનો પાયો નાખનાર જ્યોતિબા ફુલેની આજે જન્મ જયંતી હોય ચંદેરિયા ખાતે જન્મ જયંતિ નિમિત્તે છોટુ વસાવાના હસ્તે સ્ટેચ્યુનું ખાત મૂહર્ત કરવામાં આવ્યુ, ઉજવણીના કાર્યક્રમમાં આદિવાસી સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરીઆપી હતી.જ્યોતિબા ફુલે સમાજસુધારક, લેખક, તત્વચિંતક, દાર્શનિક, વિદ્વાન અને સંપાદક રહ્યાં હતા, જેમણે સ્ત્રી શિક્ષણની ચળવળનો પાયો નાખ્યો હતો. અને શિક્ષણ, ખેતીવાડી, જ્ઞાતિપ્રથા, સ્ત્રીઓ અને વિધવાઓના ઉત્થાન અને અસ્પૃશ્યતા નિવારણનાં ક્ષેત્રોમાં પણ તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.

જ્યતિબા ફૂલેનું પ્રમુખ યોગદાન સ્ત્રીઓ અને નીચી જ્ઞાતિના ગળાતા લોકોના શિક્ષણક્ષેત્રે વધુ રહ્યું છે. તેમની પત્નીને ભણાવ્યા પછી 1848 માં તેમણે સ્ત્રીઓ માટેની ભારતની સૌપ્રથમ શાળાની શરૂઆત કરી હતી, ભારતદેશમાં અનેક મહિલાઓ અને પુરુષોને શિક્ષણ મળ્યું હતું. આમ સમાજસુધારક, સંપાદક, શિક્ષણની ચળવળનો પાયો નાખનાર એવાં જ્યોતિબા ફૂલેના જન્મ જયંતિના દિવસ નિમિત્તે ભીલીસ્થાન વ્હાઈટ હાઉસ ચંદેરીયા ખાતે સ્ટેચ્યુનું ખાત મૂહર્ત ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવાનાં હસ્તે કરવામાં આવ્યું હતુ

Next Story