Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વાગરામાં બિનવારસી લાશ મળતા ચકચાર

વાગરા તાલુકાના સડથલા અને ખોજબલ ગામની વચ્ચેથી હત્યા કરાયેલ લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી

ભરૂચ : વાગરામાં બિનવારસી લાશ મળતા ચકચાર
X

ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકાના સડથલા અને ખોજબલ ગામની વચ્ચેથી હત્યા કરાયેલ લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

વાગરાના સડથલા અને ખોજબલ ગામની વચ્ચે ગતરોજ સાંજના એક યુવાનની લાશ બાવળની ઝાડીમાં હોવાની માહિતી મળી હતી. જેના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક દ્રષ્ટિએ યુવકને નાયલોનની દોરી વડે ગળે ટુંપો આપી હત્યા કરી નાશ કરવાના ઇરાદે લાશને હત્યારાઓએ સળગાવવાનો પ્રયત્નો કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અર્ધ બળેલ લાશની હજુ સુધી કોઈજ ઓળખ નહિ થતા લાશ કોની છે એ બાબતે અનેક તર્ક વિતર્ક થઈ રહયા છે. અર્ધ બળેલ હાલતમાં મળેલ લાશને પગલે વાગરા પંથકના લોકોમાં ચકચાર મચી જવા પામી હતી. મૃતકની લાશને પી.એમ. અર્થે વાગરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. ઘટના સ્થળે જંબુસર પી.આઈ, વાગરા પી.એસ.આઈ. તપાસમાં જોડાયા હતા. વાગરા પોલીસે ડોગસ્કવોડને બોલાવી તપાસને વેગીલી બનાવી હતી. વાગરા પોલીસે 302 અને 201 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story