ભરૂચ: વાગરા વિધાનસભા ભાજપની પરિચય બેઠક યોજાય, કાર્યકરોને અપાયું માર્ગદર્શન
ભાજપ અધ્યક્ષ મારુતિસિંહ અટોદરીયાએ પ્રદેશ તરફથી મળેલ વિવિધ કાર્યક્રમો, થયેલ કામગીરીની સમીક્ષા તથા આગામી દિવસોમાં આવનારી ચૂંટણીનેલક્ષમાં રાખી કાર્યકરોને કામે લાગી જવા હાકલ કરી હતી.
ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્રારા ગઠિત વિધાનસભા પ્રભારીઓની નિમણૂંકના સંદર્ભે વાગરા વિધાનસભાની પ્રથમ પરિચય- આયોજન બેઠક ભરુચ જીલ્લા ભાજપ અધ્યક્ષ મારુતિસિંહ અટોદરિયાના અધ્યક્ષ સ્થાને ભરૂચ ખાતે મળી હતી.બેઠકમાં વાગરા વિધાનસભાના અરુણસિંહ રણા, ફતેસિંહ ગોહિલ,વાગરા મંડળના પ્રભારી ધર્મેન્દ્રસિંહ પરમાર તેમજ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.ભરૂચ જીલ્લા ભાજપ અધ્યક્ષ મારુતિસિંહ અટોદરીયાએ પ્રદેશ તરફથી મળેલ વિવિધ કાર્યક્રમો, થયેલ કામગીરીની સમીક્ષા તથા આગામી દિવસોમાં આવનારી ચૂંટણીનેલક્ષમાં રાખી કાર્યકરોને કામે લાગી જવા હાકલ કરી હતી. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ વિકાસના કાર્યોની સાથો-સાથ સંગઠન દ્રારા આપવામાં આવેલ કાર્યક્રમ અંગે થયેલ કામગીરીની માહિતી આપી હતી.વિધાનસભા પ્રભારી રાજેશ દેસાઈએ પક્ષની વિચારધારા, કેન્દ્ર-રાજયનું સબળ નેતૃત્વના આધારે લોક સંપર્ક વધુ વેગવંતો કઈ રીતે બનાવી શકાય એ અંગેનું માર્ગદર્શન આપ્યું હતું