Connect Gujarat
ભરૂચ

ભરૂચ: મોંઘવારી બાબતે ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાના પ્રહાર,સી.એમ.ને પત્ર લખી મોંઘવારી નિવારણ વેક્સિનનું સંશોધન કરવા માંગ કરી

ભરૂચ: મોંઘવારી બાબતે ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાના પ્રહાર,સી.એમ.ને પત્ર લખી મોંઘવારી નિવારણ વેક્સિનનું સંશોધન કરવા માંગ કરી
X

ઝઘડિયાના ધારાસભ્ય છોટુવસાવાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મોંઘવારી બાબતે પત્ર લખ્યો છે અને કોરોનાની વેક્સિનની જેમ જ યોજના રૂપી "મોંઘવારી વેક્સિનનુ" સંશોધન કરવામાં આવે તેવી અપીલ કરી છે. ધારાસભ્ય છોટુવસાવાએ તેમના પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષથી આખા રાજ્યમાં કોરોનાની ભયંકર મહામારી ચાલી રહી છે. કોરોનાને નાથવા માટે ભારતની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા કોવેકસિન અને કોવિશિલ્ડ નામની વેક્સિન તાત્કાલિક અસરથી વિકસાવી હતી.ગુજરાત સરકાર અને રાજ્યના આરોગ્યતંત્ર દ્વારા કોરોનાથી લોકોને બચાવવા માટે વેક્સિનેશન કરવાનું કામ હાલ ચાલી રહ્યું છે.

લોકોને કોરોનાથી થતા મોતના મુખમાંથી બચાવી લેવાના પ્રયત્નો હાલ કરવામાં આવી રહ્યા છે. આમ સરકાર ઈચ્છે તો ગમે તેવી વિકટ પરિસ્થિતિ અને સમસ્યાઓનું નિવારણ કાયમી ધોરણે લાવી શકે છે, માટે સરકારને મારી અતિ હદયદ્રાવક અપીલ છે કે સમગ્ર રાજ્યમાં મોંઘવારીએ માઝા મૂકી છે. રાજ્યની દારૂણ પરિસ્થિતિ છે. ગરીબ અને મધ્યમવર્ગના લોકોનું જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે. દિનપ્રતિદિન લોકો આત્મહત્યા કરી રહ્યા છે જેથી કોરોનાની જેમ મોંઘવારી પણ ભયંકર મહામારી જ છે, તો આ મોંઘવારી નિયંત્રણ કરવા તાત્કાલિક કોઈ યોજના રૂપી "મોંઘવારી વેક્સિન" નું સંશોધન કરીને લોકોની જિંદગીનું સુખાકારી વેક્સિનેશન કરવામાં આવે જેથી કોરોનાથી બચી ગયેલા લોકોને પણ મોંઘવારીના મુખમાંથી બચાવી લેવાય.

Next Story