ભરુચ : નબીપુરમાં ઈદલ ફિત્રની શાંતિમય માહોલમાં ઉજવણી, લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો
નબીપુરમાં ઇદ્લફિત્રની શાંતિમય વાતાવરણ મા શાનદાર ઉજવણી, અબાલ વૃદ્ધો થી લઈ નાના ભૂલકાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.
નબીપુરમાં ઇદ્લફિત્રની શાંતિમય વાતાવરણ મા શાનદાર ઉજવણી, અબાલ વૃદ્ધો થી લઈ નાના ભૂલકાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.
આજરોજ મુસ્લિમોનો પવિત્ર તહેવાર એટલેકે ઇદુલ્ફીત્ર જે પવિત્ર રમજાન માસના આખા મહિનાના રોજા રાખવાની ખુશી રૂપે મનાવવામાં આવે છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે પણ આ પર્વની ખૂબજ સાદગીથી શાનદાર ઉજવણી કરાઈ હતી. ઇદની નમાઝ ગામના ઇડગાહમા અદા કરી હતી. આ પર્વમા અબલ વૃદ્ધોથી લઈ નાના બાળકોમાં એક અનેરો ઉત્સાહ જોવાઇ રહ્યો હતો. નમાઝ દરમ્યાન વિશ્વવ્યાપી કોરોનાની મહામારી વિશ્વમાંથી જલ્દી વિદાય થાય તે અંગે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી. ઈદ ની નમાઝ પછી સૌએ એકબીજાને ઈદની શુભેચ્છાઓ આપી હતી. આ પ્રસંગે નબીપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. *એ.કે.જાડેઝા* એ તેમના સ્ટાફ સાથે રહી શાંતિ ભંગ ના થાય તે માટે ખડેપગે હાજર રહયા હતા અને ઇદના પર્વને શાંતિથી ઉજવવા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.