Connect Gujarat
ભરૂચ

ગુજરાત સરકારની નવી ગાઈડલાઈન જાહેર, ભરૂચ સહિત 17 શહેરોમાં પણ નાઇટ કરફયુ

ભરૂચ અને અંકલેશ્વર સહિત રાજયના અન્ય શહેરોમાં પણ રાત્રિના 10 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુની જાહેરાત

ગુજરાત સરકારની નવી ગાઈડલાઈન જાહેર, ભરૂચ સહિત 17 શહેરોમાં પણ નાઇટ કરફયુ
X

રાજયમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચુકી છે ત્યારે સરકારે સંક્રમણને રોકવા વધુ પગલાં ભર્યા છે. ભરૂચ અને અંકલેશ્વર સહિત રાજયના અન્ય શહેરોમાં પણ રાત્રિના 10 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુની જાહેરાત કરી દેવામાં આવી છે.ગુજરાતમાં તહેવારો બાદ કોરોનાએ ફરીથી માથુ ઉચકયું છે. રાજયમાં રોજના 20 હજાર કરતાં વધારે કેસ આવવા છતાં સરકાર કોઇ કાર્યવાહી કરતી ન હોવાની છબી ઉભી થઇ હતી. આજરોજ કેબીનેટની બેઠક મળી હતી જેમાં કેટલાક આકરા નિર્ણયો લેવામાં આવ્યાં છે.

રાજ્યના ૮ મહાનગરો અને બે શહેરો ઉપરાંત વધુ ૧૭ નગરોમાં રાત્રિ કરફયુનો અમલ કરાવવામાં આવશે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે. હોટેલ્સ તથા રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે.કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં ૧૭ નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૨થી દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.

રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ તા.રર-૧-ર૦રરના સવારે ૬ વાગ્યે પૂર્ણ થાય છે તે વધુ ૭ દિવસો માટે લંબાવીને તા ૨૯ જાન્યુઆરી ૨૦૨૨ સુધીની કરવામાં આવી છે.હવે ૮ મહાનગરો ઉપરાંત ૧૯ નગરોમાં તારીખ ૨૨ મી જાન્યુઆરી થી દરરોજ રાત્રિના ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીના રાત્રિ કરફયુનો અમલ તા.૨૯ જાન્યુઆરી સુધી કરવામાં આવશે.

આ 27 શહેરમાં નાઇટ કર્ફ્યૂ:-

અમદાવાદ

વડોદરા

સુરત

રાજકોટ

ભાવનગર

જામનગર

જૂનાગઢ

ગાંધીનગર

આણંદ

નડિયાદ

સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા

મોરબી

વાંકાનેર

ગોઘરા

વિજલપોર (જિ. નવસારી)

નવસારી

ધોરાજી

વ્યારા

વાપી

વલસાડ

ભરુચ

અંકલેશ્વર

કલોલ (જિ. ગાંધીનગર)

ગોંડલ

જેતપુર (જિ. રાજકોટ)

કાલાવડ (જિ. જામનગર)

Next Story