અંકલેશ્વરના અંસાર માર્કેટમાંથી શંકાસ્પદ ભંગાર મળી આવ્યો,આરોપી જપ્ત
પોલીસે સ્થળ પરથી એસ.એસ.પ્લેટો અને એસ.એસ.નો ભંગાર મળી ૩૯૩ કિલો ભંગાર મળી કુલ ૪૫ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
BY Connect Gujarat Desk18 May 2022 11:27 AM GMT
X
Connect Gujarat Desk18 May 2022 11:27 AM GMT
અંકલેશ્વર શહેર પોલીસે અંસાર માર્કેટમાં આવેલ જેમ્સ ટ્રેડર્સમાંથી શંકાસ્પદ એસ.એસના ભંગાર સાથે વેપારીને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંસાર માર્કેટમાં આવેલ જેમ્સ ટ્રેડર્સમાં શંકાસ્પદ એસ.એસની પ્લેટો અને ભંગાર પડેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી એસ.એસ.પ્લેટો અને એસ.એસ.નો ભંગાર મળી ૩૯૩ કિલો ભંગાર મળી કુલ ૪૫ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાપોદ્રા ગામની ઝકરિયા પાર્કમાં રહેતો કમીલ જમાલ લલન ચૌધરીને ઝડપી પાડી તેની પુછપરછ કરતા આ જથ્થો ભરૂચના એઝાઝ અબ્દુલ શેખ પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું.
Next Story