Connect Gujarat
ગુજરાત

ભાવનગર : બોરતળાવ નજીક પ્રેમસંબંધમાં યુવાનની કરપીણ હત્યા, પોલીસે કરી આરોપીની ધરપકડ

ભાવનગર : બોરતળાવ નજીક પ્રેમસંબંધમાં યુવાનની  કરપીણ હત્યા, પોલીસે કરી આરોપીની ધરપકડ
X

ભાવનગરના બોરતળાવ

વિસ્તાર નજીક પ્રેમસંબંધમાં એક યુવાનની કરપીણ હત્યા કરી દેવામાં આવતા સમગ્ર

પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસાર, ભાવનગર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો કે, શહેરના જવેલર્સ સર્કલથી ઇસ્કોન ક્લબ રોડ બોરતળાવની પાળ નજીક પાસે આવેલ રાજશક્તિ પાન સેન્ટર પાસે એક યુવાનનો મૃતદેહ પડ્યો છે. બનાવની જાણ થતાં

ભાવનગર એસ.ઓ.જી અને એલ.સી.બી. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. યુવકની ઓળખ મેળવતા મૃતક યુવક ભાવનગરના કુમાડવાડી રામજીના મંદિર પાસે રહેતો

સંજય ધનજીભાઈ મેર હોવાનું બહાર આવ્યું હતું.

ભાવનગર પોલીસ દ્વારા

પરિવાર તથા આસપાસના લોકોની વિશેષ પૂછપરછ કરતા સંજય મેર અગાઉ કોઈ મહિલા સાથે

પ્રેમ સંબંધમાં હતો. જે મહિલાને હાલ અન્ય એક યુવક મેહુલ બાબરીયા સાથે પણ પ્રેમ સંબંધ થતાં સંજય અને મેહુલ વચ્ચે અવારનવાર ફોન પર ઝગડો પણ થતો હતો. મેહુલ અને તેમના

એક બીજા મિત્રએ સંજય મેરને ફોન કરી મળવા માટે બહાર બોલાવ્યો હતો. અગાઉ થયેલ ઝગડાની રીસ રાખી મેહુલ અને તેના મિત્ર ઉગ્ર થઈ સંજય મેર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો

કરતા સંજયનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. શહેરમાં થયેલ હત્યાના બનાવ અંગે પોલીસે હત્યારા મેહુલ બાબરીયાને ઝડપી તેના વિરુદ્ધ

કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story