ભાવનગર : આર્દશ સોસાયટીમાં મકાનનો કેટલોક ભાગ ધરાશાયી, એક વ્યકતિને ઇજા
BY Connect Gujarat30 Jun 2020 7:44 AM GMT
X
Connect Gujarat30 Jun 2020 7:44 AM GMT
ભાવનગર શહેરની આર્દશ સોસાયટીમાં વરસાદના કારણે ત્રણ માળના મકાનનો કેટલોક ભાગ તુટી પડતાં એક વ્યકતિને ઇજા પહોંચી છે. મકાનનો કાટમાળ તુટીને દુકાન પર પડયો હતો પરંતુ સદનસીબે મોટી હોનારત થતાં અટકી હતી.
ભાવનગર શહેર તથા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. ભારે વરસાદના કારણે જર્જરીત મકાનો અને ઇમારતો ધરાશાયી થવાનો સિલસિલો શરૂ થઇ ચુકયો છે. ભાવનગર શહેરની આર્દશ સોસાયટીમાં એક ત્રણ માળનું મકાન જર્જરીત હાલતમાં રહેલું છે. સતત વરસી રહેલા વરસાદના કારણે મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. મકાનનો કાટમાળ નજીકમાં આવેલી દુકાન પર પડતાં એક વ્યકતિને ઇજા પહોંચી હતી. ઘટના બાદ સ્થળ પર લોકટોળા એકત્ર થઇ ગયાં હતાં. મોટી હોનારત સર્જાય તે પહેલાં મકાન ઉતારી લેવામાં આવે તેવી સ્થાનિકોએ માંગણી કરી છે.
Next Story