Connect Gujarat
Featured

ભાવનગર : 15 લાખ રૂપિયાની ખંડણી નહિ મળતાં વૃધ્ધની કરપીણ હત્યા

ભાવનગર : 15 લાખ રૂપિયાની ખંડણી નહિ મળતાં વૃધ્ધની કરપીણ હત્યા
X

ભાવનગર જિલ્લાના સિહોરમાં વૃધ્ધ વેપારીની 15 લાખ રૂપિયાની ખંડણી માટે હત્યા કરી નાંખવામાં આવી છે. બનાવ સંદર્ભમાં પોલીસે એક શકમંદ આરોપીની અટકાયત કરી તેની પુછપરછ હાથ ધરી છે…..

ભાવનગરના સિહોરમાં કેબલ નેટવર્ક અને પાન મસાલાની દુકાન ધરાવતા રજાકભાઈ સેલોતની પુત્રી પર તેનાજ પિતાના મોબાઈલમાંથી ફોન આવ્યો હતો. જેમાં તેમના પિતાનું અપહરણ કરી લેવામાં આવ્યું છે અને તેમને છોડાવવા માટે તમારે 15 લાખ રૂપિયા આપવા પડશે. ઘટના બાદ રજાકભાઇના ઘરે લોકો એકત્ર થઇ ગયાં હતાં અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ અને પરિવારજનો રજાકભાઇની શોધખોળ કરી રહયાં હતાં. દરમિયાન આજે વહેલી સવારે સુરકાના દરવાજા વિસ્તારની અવાવરું જગ્યામાંથી રજાકભાઈની છરીના ઘા ઝીંકી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ બનાવમાં ભરત કોળી નામના ઇસમની હાલ શંકાના આધારે અટકાયત કરી વધુ પુછપરછ અને તપાસ હાથ ધરી છે.

Next Story