ભાવનગર: પ્રેમી યુગલે સાથે ફાંસો ખાઈ જિંદગીને કહ્યું અલવિદા
ભાવનગરના ઘોઘા તાલુકાના ચણીયાણા ગામની બાજુમાં આવેલ મંદિર પાસે એક પ્રેમી યુગલે સાથે ફાંસો ખાઈ જિંદગીને અલવિદા કહ્યું હતું.
ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના ચણીયાણા ગામ પાસે
અવાવરૂ જગ્યામાં પ્રેમી પંખીડાએ ઝાડની ડાળી સાથે લટકી ફાની દુનિયાને અલવિદા કહેતા ચકચાર
મચી જવા પામી હતી. આ ઘટનામાં છેલ્લા કેટલાક સમયથી એકબીજા સાથે પ્રેમના બંધનમાં
બંધાયેલ હોય, આ સબંધની જાણ બંન્નેવના પરિવારજનો તેમજ ગામ
લોકોને થઇ જતા. આ મતલબી દુનિયા(સમાજ) તેઓના પ્રેમને ક્યારેય સ્વીકારસે નહી અને એક
બીજાના થઇ શકશે નહિ તેવા ડર સાથે એકબીજાને સાથે જીવ્યા અને સાથે મર્યાના કોલ સાથે
ઝાડની ડાળી સાથે લટકી ફાંસો ખાઇ, મતલબી દુનિયાને હમેશ માટે
અલવિદા કહી દીધી હતી.
આ ઘટનાની જાણ વાયુવેગે ગામમાં થતા જ ગામલોકો ઘટના
સ્થળે દોડી આવ્યા હતા. અને ઘટનાની જાણ પોલીસને પણ કરાઇ હતી. બનાવની જાણ થતાં જ ઘોઘા
પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બંન્નેવના મૃતદેહોને નીચે ઉતારી તપાસ કરતા
આ બંન્નેવ પ્રેમી નામે મહેશભાઈ રાણાભાઇ ગોહેલ ઉ.વર્ષ.૨૩ રહે. ચણીયાણા તેમજ સવિતા હકાભાઇ
મક્વાણા ઉ.વર્ષ.૨૧ ભાખલ હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે પંચનામું કરી લાસને પી.એમ
અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.