ભાવનગર: સ્વામિનારાયણ ગુરૂકુળની સ્કૂલ બસ નીચે કચડાઇ જતાં ધોરણ-2માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મોત
BY Connect Gujarat14 Feb 2020 3:42 PM GMT
X
Connect Gujarat14 Feb 2020 3:42 PM GMT
ભાવનગર: શહેરના ચિત્રા સ્વામિનારાયણ ગુરૂકુળ સ્કૂલમાં ધોરણ-2માં અભ્યાસ કરતી દિયા મુકેશભાઈ વાઢેર સ્કૂલેથી છુટી સ્કૂલ બસમાં ઘરે આવી હતી તે વેળા ઘર પાસે સ્કૂલ બસમાંથી બાળા ઉતરે તે પૂર્વે બસ ડ્રાઈવરે બેદરકારીપૂવૅક બસ ચલાવી દેતા બાળા કસડાઈ પડી હતી. અને તેનું માથું વ્હીલ નીચે કચડાઈ જતાં માસુમ બાળાનું ઘટના સ્થળે કમ કમાટીભર્યું મોત નિપજ્યું હતું. ડ્રાઇવર અકસ્માત સર્જી બસ સાથે નાસી છુટ્યો હતો.
Next Story