ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો પુલવામાં માં શહિદ થયેલા સૈનિકો ની વ્હારે: આપસે એક મહિના નો પગાર
BY Connect Gujarat18 Feb 2019 11:07 AM GMT
X
Connect Gujarat18 Feb 2019 11:07 AM GMT
પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને સહાય કરવા માટે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો આગળ આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યો પોતાનો એક મહિનાનો પગાર દાનમાં આપવાની જાહેરાત કરી છે. જેને લઈને કોંગ્રેસના તમામ ધારાસભ્યો શહીદોને સહાય કરશે. આ મહત્વનો નિર્ણય કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠકમાં કરવામાં આવ્યો છે. જેને લઈને ધારાસભ્યો પોતાનો પગાર સૈનિકોના પરિવારજનોએ ને દાનમાં આપશે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ભાજપના ધારાસભ્યો દ્વારા પણ સહાયની જાહેરાત કરી હતી. પ્રદેશ ભાજપ એક કરોડનું ફંડ એકઠુ કરીને શહિદોના પરિવારજનોને આપશે. ભાજપના ધારાસભ્યો શહીદોને 50-50 હજારની સહાય કરશે.
Next Story