વિદેશમાં સ્થાયી થવાનું વધતું વલણ, 2021 સુધી નવ લાખ નાગરિકોએ ભારતની નાગરિકતા છોડી
ઘણા આંતરરાષ્ટ્રીય સર્વેમાં ભારતને રહેવા માટે વિશ્વના શ્રેષ્ઠ દેશોમાં ગણવામાં આવે છે,

ઘણા આંતરરાષ્ટ્રીય સર્વેમાં ભારતને રહેવા માટે વિશ્વના શ્રેષ્ઠ દેશોમાં ગણવામાં આવે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સાડા આઠ લાખથી વધુ લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી છે.
ભારત સરકારના જણાવ્યા અનુસાર, 30 સપ્ટેમ્બર 2021 સુધીમાં, 8,81,254 નાગરિકોએ તેમની ભારતની નાગરિકતા છોડી દીધી છે. તે જ સમયે, 2016 અને 2020 ની વચ્ચે, 10,645 વિદેશી નાગરિકોએ ભારતની નાગરિકતા માટે અરજી કરી હતી. જેમાં પાકિસ્તાનના 7,782 અને અફઘાનિસ્તાનના 795નો સમાવેશ થાય છે. 44 ટકા ભારતીયો જેઓ ભારતથી અમેરિકા સ્થળાંતર કરે છે, બાદમાં ત્યાંની નાગરિકતા મેળવે છે અને ત્યાં સ્થાયી થાય છે. કેનેડા અને ઓસ્ટ્રેલિયા જતા 33 ટકા ભારતીયો પણ આવું જ કરે છે. બ્રિટન, સાઉદી અરેબિયા, કુવૈત, સંયુક્ત આરબ અમીરાત, કતાર અને સિંગાપોર જેવા દેશોમાં પણ મોટી સંખ્યામાં ભારતીયો સ્થાયી થયા છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વિદેશમાં 1.25 કરોડ ભારતીય નાગરિકો રહે છે, જેમાંથી 37 લાખ લોકો OCI એટલે કે ઓવરસીઝ સિટિઝનશિપ ઑફ ઈન્ડિયા કાર્ડ ધારક છે. જો કે, તેમને મત આપવાનો, દેશમાં ચૂંટણી લડવાનો, ખેતીની મિલકત ખરીદવાનો કે સરકારી કચેરીઓમાં કામ કરવાનો પણ અધિકાર નથી. અભ્યાસ, સારી કારકિર્દી, આર્થિક સમૃદ્ધિ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો વિદેશમાં જાય છે. વિદેશમાં અભ્યાસ માટે ગયેલા લગભગ 80 ટકા લોકો ભારત પાછા નથી આવતા. કારકિર્દીની સંભાવનાઓ જોઈને અને સારી તકો મળતાં તેઓ વિદેશમાં સ્થાયી થાય છે. ભારતમાં એકલ નાગરિકતાની જોગવાઈ છે. ભારતનું બંધારણ ભારતીયોને બેવડી નાગરિકતા રાખવાની મંજૂરી આપતું નથી. ભારતનો તર્ક હંમેશા એવો રહ્યો છે કે તમારે એક રાષ્ટ્ર પ્રત્યે વફાદારી રાખવી જોઈએ. તમે એક જ સમયે બે રાષ્ટ્રો પ્રત્યે નિષ્ઠા રાખી શકતા નથી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
ભરૂચ-દહેજને જોડતા જર્જરિત નંદેલાવ ફ્લાયઓવર બ્રિજ પર ભારદારી વાહનોની...
29 Jun 2022 9:18 AM GMTઅમદાવાદ : ભગવાન જગન્નાથને ચંદનના લેપ કરી આંખે પાંટા બાંધી કરાઇ...
29 Jun 2022 9:12 AM GMTઅમદાવાદ: ભગવાન જગન્નાથનો નેત્રોત્સવ પૂર્ણ થયા બાદ ભંડારો યોજાયો,પૂર્વ...
29 Jun 2022 9:06 AM GMTઅંકલેશ્વર: રથયાત્રા પૂર્વે રિક્ષામાંથી હથિયારો સાથે 5 આરોપી ઝડપાયા
29 Jun 2022 8:24 AM GMTગોધરાના મોરવાહડફમાંથી સરકાર દ્વારા બંધ કરાયેલ જૂની ચલણી નોટો ઝડપાઇ,...
29 Jun 2022 8:20 AM GMT