Connect Gujarat
Featured

બૉલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના લોકડાઉન બાદ એક જાહેરાતની શૂટિંગ માટે સેટ પર પરત ફર્યા

બૉલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના લોકડાઉન બાદ એક જાહેરાતની શૂટિંગ માટે સેટ પર પરત ફર્યા
X

અભિનેતા આયુષ્માન ખુરાના ચંદીગઢમાં એક જાહેરાતની શૂટિંગ માટે સેટ પર પરત ફર્યા છે. શૂટિંગ ફરીથી શરૂ કરવા માટે આયુષ્માન સંપૂર્ણપણે તૈયાર હતો.
બૉલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના ચંદીગઢમાં મહિનાઓ બાદ એક જાહેરાતની શૂટિંગ માટે સેટ પર પાછા ફર્યા છે.

આયુષ્માને કહ્યું કે, લાબાં સમય બાદ શૂટિંગ શરૂ થતાં ખૂબ સારું લાગ્યું છે.લોકડાઉનના લાંબા સમય બાદ પ્રથણ વખત મેં સેટ પર પગ મૂક્યો છે.

આયુષ્માન આ સમયે માતા-પિતા સાથે સમય વિતાવવા માટે તેમના પરિવાર સાથે ચંદીગઢમાં છે. અભિનેતા આયુષ્માને જણાવ્યું હતું કે હાલમાં જ ખુરાના ફેમિલીએ નવું ઘર ખરીદ્યું છે.ખુરાના પરિવારે ચંદીગઢમાં ઉપર નગર પંચકુલામાં એક નવું ઘર ખરીદ્યું છે. પરિવારમાં આયુષ્માનના માતા-પિતા, ખુરાના અને પૂનમ, આયુષ્માન અને તેમની પત્ની તાહિર, અપાર, શક્તિ અને તેમની પત્ની આકૃતિ સામેલ છે.

Next Story