બ્રિટન : ઓછું કૌશલ્ય ધરાવતા શ્રમિકોની સંખ્યા ઘટાડવા માટે હવે, પોઈન્ટના આધારે જ મળશે વિઝા
યુકેએ બ્રિટનની નવી પોઇન્ટ્સ આધારિત વિઝા સિસ્ટમ શરૂ કરવાની ઘોષણા કરી છે, જે 1 જાન્યુઆરી, 2021થી અમલમાં આવશે. નવી સિંગલ ગ્લોબલ સિસ્ટમ EU(યુરોપીયન સંઘ) અને Non – EU (બીન યુરોપીયન સંઘ)નાગરિકોને લઈ સમાન રીતે બનાવવામાં આવી છે. ગૃહ સચિવ પ્રીતિ પટેલે બુધવારે બ્રિટનની નવી પોઈન્ટ આધારિત વિઝા પ્રણાલી શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેનો ઉદ્દેશ ભારત સહિત દુનિયાની સૌથી પ્રતિભાશાળી અને સૌથી ઉત્કૃષ્ટ લોકોને બ્રિટન આવવા માટે આકર્ષિત કરવાનો છે. આ નવી વિઝા સિસ્ટમનો ઉદ્દેશ દેશમાં આવતા સસ્તા ઓછા કુશળ શ્રમિકોની સંખ્યામાં કાપ મૂકવાનો છે.
આ પ્રણાલી વિશિષ્ટ કૌશલ્ય, યોગ્યતા, વેતન અને વ્યવસાયો માટે પોઈન્ટ
પ્રદાન કરવા પર આધારિત છે, જેમાં
માત્ર પૂરતા પોઈન્ટ પ્રાપ્ત કરનારા લોકોને જ વિઝા મળી શકશે. બ્રિટનમાં ભારતીય
મૂળના સૌથી વરિષ્ઠ કેબિનેટ મંત્રી પ્રીતિ પટેલે કહ્યું હતું, ‘આજે સમગ્ર દેશ માટે એક ઐતિહાસિક
ક્ષણ છે. યુકેની નવી પોઈન્ટ આધારિત ઈમિગ્રેશન પ્રણાલી શરૂ કરીને લોકોની
પ્રાથમિકતાઓ સુધી પહોંચી રહ્યા છીએ, જે સમગ્ર પ્રવાસન સંખ્યાને નીચે
લાવશે.’
પ્રીતિ પટેલે કહ્યું હતું, ‘નવી વિઝા પ્રણાલી અંતર્ગત કોઈ
વ્યક્તિ યુકે આવવા માગે છે તો તેમને અંગ્રેજી બોલતા આવડે એ જરૂરી છે અને તેમની
પાસે એપ્રુવ્ડ સ્પોન્સરની સ્કીલ્ડ જોબ માટેની ઓફર હોવી જોઈએ. જેના દ્વારા
વ્યક્તિને ૫૦ પોઈન્ટ મળી શકે છે. બધુ મળીને ઈમિગ્રન્ટે ૭૦ પોઈન્ટ મેળવવા જરૂરી છે
જેના પછી તે યુકેમાં કામ કરવા સક્ષમ બની શકે છે. અન્ય પોઈન્ટ્સ યોગ્યતા, ઓફર કરાયેલું વેતન અને જ્યાં અછત
હોય એવા સેક્ટરમાં કામ જેવા મુદ્દે મળી શકે છે.