Connect Gujarat
Featured

સુરત : પાટીદાર બાહુલ્ય ધરાવતાં વિસ્તારોમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની રોડ શો

સુરત : પાટીદાર બાહુલ્ય ધરાવતાં વિસ્તારોમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની રોડ શો
X

2015માં યોજાયેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપને પાટીદાર ફેકટર નડયું હતું ત્યારે આ વર્ષે ભાજપ પાટીદારોને રીઝવવા તનતોડ મહેનત કરી રહયું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પાટીદાર સમાજનું પ્રભુત્વ ધરાવતાં કુલ નવ વોર્ડમાં રોડ શો યોજયો હતો.

સુરતમાં પાટીદારોન ગઢમાં સી આર પાટીલે રોડ શો યોજયો હતો. શહેરના શ્યામધામ મંદિર પાસે, સરથાણા જકાતનાકાથી બાઈક રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિક સ્વરાજ ચૂંટણી પ્રચારને આવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો પોત પોતાના ઉમેદવારોને જીતાડવા મહેનત કરી રહયાં છે ત્યારે આજરોજ સુરતમાં પાટીદાર ગઢ ગણાતાં વોર્ડ નંબર 3,4,5,14,15,16,17,18 માં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે રોડ શો યોજયો હતો.જેમાં માં આરોગ્ય મંત્રી કુમાર કાનાણી,સાંસદ દર્શના જરદોશ સહિતના ભાજપના નેતા અને કાર્યકર્તાઓ હજારોની સંખ્યામાં જોડાયા હતાં. મહત્વની વાત કરવા આવે તો થોડા દિવસો પહેલાજ આજ પાટીદાર ગઢમાં આપ પાર્ટીના દિલ્લી નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાએ ભવ્ય રોડ શો યોજયો હતો જેમાં હજારોની સંખ્યમાં લોકો જોડયા હતા પરંતુ મતદાનના દિવસે જનતા જ નક્કી કરશે કઈ પાર્ટીના ઉમેદવારને તેમના વોર્ડના રાજા બનાવશે.

Next Story