Connect Gujarat
ગુજરાત

કેન્સરની દવા મળશે સસ્તી, કેન્દ્ર સરકાર દ્વારા ટ્રેડ માર્જિન ફિક્સ કરાયું : મનસુખ માંડવીયા

કેન્સરની દવા મળશે સસ્તી, કેન્દ્ર સરકાર દ્વારા ટ્રેડ માર્જિન ફિક્સ કરાયું : મનસુખ માંડવીયા
X

કેન્દ્ર સરકાર દ્વારા લોકો ના આરોગ્ય ને ધ્યાન માં રાખી વધુ એક મહત્વ પૂર્ણ નિર્ણય લીધો છે.. કેન્દ્ર સરકાર દ્વારા ગઈકાલે ટ્રેડ માર્જીન ફિક્સ કરવામાં આવ્યું છે.

જે રીતે દેશમાં કેન્સર નું પ્રમાણ વધુ જોવા મળે છે અને કેન્સર નાં કારણે દર્દીઓના મૃત્યુ આંક વધતા જોવા મળતા કેન્દ્ર સરકાર દ્વારા આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે અને કેન્સરની દવા પર ટ્રેડ માર્જીન ફિક્સ કર્યું છે.. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે કેન્સરની દવા પર ટ્રેડ મરજીન ફિક્સ કરવાથી દવામાં ૮૦ ટકા જેટલો ફાયદો થતો જોવા મળશે.

જેમાં ૪૨ જેટલી દવાનાં ભાવમાં સીધો ઘટાડો જોવા મળશે સાથે જ તેઓ એ જણાવ્યું હતું કે ગરીબ અને મધ્યમ વર્ગ ના દર્દી કેન્સર ની દવા ખરીદી કરી ન શકતા હતા એના માટે સરકાર દ્વારા નીન્ય લેવામાં આવ્યો છે.

Next Story