Connect Gujarat
મનોરંજન 

જ્યારે રણવીર સિંહે બાજીરાવ મસ્તાનીના સેટ પર પેશ્વા બાજીરાવની આત્મા જોઈ, શેર કર્યો અનુભવ

રણવીર સિંહ એવા કલાકારોમાંથી એક છે જેમણે ટૂંકા સમય ગાળામાં ટોચના અભિનેતાનું બિરુદ પ્રાપ્ત કર્યું છે.

જ્યારે રણવીર સિંહે બાજીરાવ મસ્તાનીના સેટ પર પેશ્વા બાજીરાવની આત્મા જોઈ, શેર કર્યો અનુભવ
X

રણવીર સિંહ એવા કલાકારોમાંથી એક છે જેમણે ટૂંકા સમય ગાળામાં ટોચના અભિનેતાનું બિરુદ પ્રાપ્ત કર્યું છે. કોઈ પણ ભૂમિકા કરતાં પહેલાં, તે તેના પર સંપૂર્ણ સંશોધન કરે છે અને તેને સંપૂર્ણ ન્યાય આપવાનો પ્રયાસ કરે છે. પેશવા બાજીરાવ, અલાઉદ્દીન ખિલજી આવા ઘણા પાત્રો પણ તેના સ્પષ્ટ ઉદાહરણો છે. ફિલ્મોના શૂટિંગ દરમિયાન ઘણી વિચિત્ર કિસ્સાઓ પણ બને છે રણવીર સિંહ સાથે પણ એક કિસ્સો બાજીરાવ મસ્તાનીના શૂટિંગ દરમિયાન બન્યો હતો. જે ખરેખર ભયાવહ હતો. ખુદ રણવીરસિંહે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેણે પેશ્વા બાજીરાવનું ભૂત જોયું હતું. આ ફિલ્મમાં રણવીર સિંહ સાથે દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડા પણ હતા.

આ ફિલ્મ પછી એક ઇન્ટરવ્યુમાં રણવીરસિંહે કહ્યું હતું કે, "જે દિવસે આ બધું બન્યું તે ખૂબ મુશ્કેલ હતું. દરેક ક્ષણે લાગ્યું કે સેટ પર કંઈક અજુગતું હતું, કોઈની હાજરીનો અહેસાસ કરી રહ્યો હતો. જેના કારણે ખૂબ પરેશાન થઈ રહ્યો હતો. પછી કાળી દિવાલ પર સફેદ માટીની બનેલી એક પેઇન્ટિંગ બનેલી દેખાઈ જે સંપૂર્ણપણે પેશ્વા બાજીરાવ જેવી હતી." રણવીરે તે આકૃતિની તસવીર પણ લીધી હતી અને તે બધાને બતાવી હતી અને બધાએ સંમતિ આપી હતી કે તે બરાબર બાજીરાવ જેવી છે. આ અનુભવ શેર કરતાં રણવીરસિંહે કહ્યું હતું કે તે પોતે આ બધી બાબતોમાં વિશ્વાસ નથી કરતો પરંતુ જ્યારે આ બધું તેની સાથે થયું ત્યારે તે ખૂબ જ અચંબામાં મુકાયો હતો.

બાજીરાવ મસ્તાની વર્ષ 2015માં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ હતી, જેણે બોક્સ ઓફિસ પર 300 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મમાં રણવીર સિંહે પેશ્વા બાજીરાવની ભૂમિકા ભજવી હતી, જ્યારે દીપિકા પાદુકોણ મસ્તાનીની ભૂમિકામાં જોવા મળી હતી. જ્યારે પ્રિયંકા ચોપડાએ કાશીબાઈની ભૂમિકા ભજવી હતી.

Next Story