આજે "ચંદ્રયાન ૨"નું લોન્ચિંગ રોકાયું, સર્જાઇ ટેકનિકલ ખામી
BY Connect Gujarat15 July 2019 6:52 AM GMT
X
Connect Gujarat15 July 2019 6:52 AM GMT
ટેકનિકલ ખામી સર્જાતા આજે બાહુબલી (ચંદ્રયાન-૨) લોન્ચિંગ નહીં થાય. ઇસરોએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મશીનમાં ટેક્નિકલ ખામી સર્જાઇ છે. સાવચેતીના ભાગરૂપે આજે ચંદ્રયાન-૨નું લોન્ચિંગ કરવામાં નહીં આવે. લોન્ચિંગની આગામી તારીખ પછી જાહેર કરવામાં આવશે. ઇસરોના જણાવ્યા મુજબ રોકેટમાં ક્રાયોજેનિક ઇંધણ ભરતા સમયે મુશ્કેલી ઊભી થઈ હતી. હવે આ ઇંધણ સંપૂર્ણપણે ખાલી કરવું પડશે. થોડા દિવસ બાદ આગળની રણનીતિ નક્કી કરાશે.
https://twitter.com/isro/status/1150520298761936896
હાલમાં તેનું કાઉન્ટડાઉન રોકી દેવામાં આવ્યું હતું. અગત્યનું એ છે કે, લોન્ચ થવાના ૫૬ મિનિટ અને ૨૪ સેકન્ડ પહેલાં જ તેનું કાઉન્ટડાઉન રોકી દેવામાં આવ્યું હતું. રાત્રે ૨.૫૧વાગ્યે ચંદ્રયાન ૨ લોન્ચ થવાનું હતું, પરંતુ ટેક્નિકલ ખામીને કારણે હાલમાં તેનું લોન્ચિંગ રોકી દેવામાં આવ્યું હતું.
Next Story