Connect Gujarat
ગુજરાત

કોંગ્રેસે કરી મોટી જાહેરાત: ચૂંટણી જીતીશું તો આપીશું ગરીબોને ન્યાય...!

કોંગ્રેસે કરી મોટી જાહેરાત: ચૂંટણી જીતીશું તો આપીશું ગરીબોને ન્યાય...!
X

કોંગ્રેસે કહ્યું, જો અમે સત્તામાં આવીશું તો ૧૨૦૦૦ રૂપિયા ગરીબોના ખાતામાં દર મહિને આવશે. આ વાત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીની મિટિંગ બાદ દિલ્હીમાં પત્રકાર પરિષદ કરી જણાવી હતી.

તેઓએ કહ્યું કે પાછલા પાંચ વર્ષોમાં ગરીબોને ખુબજ મુશ્કેલીઓ વેઠવી પડી છે. કોંગ્રેસની સરકાર બનશે તો લઘુતમ આવક યોજનાથી અમે તેઓને ન્યાય આપવા જઇ રહ્યા છે. દુનિયામાં કોઈ જગ્યાએ આવું થયું નથી. રાહુલ ગાંધીએ કહ્યું હતું જ્યારે અમે માનરેગા યોજના શરૂ કરી હતી ત્યારે અમે આ યોજના થી ૧૪ કરોડ લોકોને લાભ અપાવ્યો હતો અને ગરીબી થી દૂર કર્યા હતા. જ્યારે આ યોજના થી પાંચ કરોડ પરિવાર અને ૨૫ કરોડ લોકોને સીધો લાભ પહોંચશે.

રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ગરીબી દૂર કરીને જ દમ લઈશું. જોકે જ્યારે તેમણે પૂછવામાં આવ્યું આ કઈ રીતે સંભવ છે? તો તેમણે જણાવ્યુ આ વિષે સંપૂર્ણ માહિતી કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી પી. ચિદમ્બરમ આપશે. રાહુલે કહ્યું કે જો તમારી આવક ૧૨ હજાર રૂપિયા થી ઓછી છે તો અમે તેને ૧૨૦૦૦ સુધી પોંચાડીશું. જેમ કે તમારી આવક ૮૦૦૦ છે, તો અમે ૪૦૦૦ રૂપિયા આપીશું.

રાહુલે આ યોજનાને ઐતિહાસિક ગણાવી અને કહ્યું દેશના સૌથી ૨૦ ટકા ગરીબ પરિવારોને આ લાભ આપવામાં આવશે. દર વર્ષે ૭૨૦૦૦ રૂપિયા પરિવારોને આપવામાં આવશે. આ લાભના નાણાં સીધા લાભાર્થીના ખાતામાં પોંચાડવામાં આવશે. આ યોજના પાયલોટ પ્રોજેકટ બાદ અમલ કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યુ હતું.

Next Story