જેએનયુ હિંસાના સત્યને જાણવા કોંગ્રેસે બનાવી ફેક્ટફાઇન્ડિંગ કમિટી, એક સપ્તાહમાં રિપોર્ટ કરશે રજૂ!
BY Connect Gujarat7 Jan 2020 6:53 AM GMT
X
Connect Gujarat7 Jan 2020 6:53 AM GMT
જવાહરલાલ નહેરુ
યુનિવર્સિટી (જેએનયુ)માં રવિવારે થયેલ હિંસાના વિરોધ દિલ્હી સહિત દેશભર થઈ રહ્યો
છે. આ દરમિયાન કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ તથ્ય શોધવા માટે એક
સમિતિની રચના કરી છે. જેમાં ચાર લોકો સામેલ છે. સમિતિની આજે કોંગ્રેસ કાર્યાલયમાં
બેઠક યોજાશે. તેમણે એક સપ્તાહમાં પોતાનો અહેવાલ રજુ કરવાનો રહેશે.
બીજી તરફ દિલ્હી
પોલીસે જેએનયુ હિંસા કેસમાં મોટી કાર્યવાહી કરી છે. દિલ્હી પોલીસે યુનિવર્સિટીના
વિદ્યાર્થી સંઘના પ્રમુખ આઇશી ઘોષ સહિત 19 લોકો
વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તેમના પર 4 જાન્યુઆરીએ
સર્વર રૂમમાં તોડફોડ કરવાના આરોપ હેઠળ કેસ દાખલ કરાયો હતો. 5 જાન્યુઆરીએ યુનિવર્સિટી પ્રશાસને આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
Next Story