Connect Gujarat
ગુજરાત

કોરોના વાયરસનો હાહાકાર: તમારા સંતાનો ચીનમાં ફસાયા છે તો આ સમાચાર જરૂરથી વાંચજો

કોરોના વાયરસનો હાહાકાર: તમારા સંતાનો ચીનમાં ફસાયા છે તો આ સમાચાર જરૂરથી વાંચજો
X

રાજ્ય સરકાર વિદેશ મંત્રાલય – ભારત સરકાર સાથે સંકલનમાં રહી ગુજરાત આવવા ઇચ્છુક

વિદ્યાર્થીઓને પરત લાવવાની જરૂરી વ્યવસ્થા કરશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચાઇનામાં

કોરોના વાયરસના કારણે સર્જાયેલી સ્થિતીમાં ગુજરાતના જે યુવાનો ત્યાં ફસાયેલા છે તેની

સંપૂર્ણ વિગતો મેળવી જરૂરી તમામ સહાયતાના પ્રબંધ માટે મુખ્ય સચિવ અનિલ મુકિમને

સૂચનાઓ આપી છે.

તદ્દઅનુસાર, આવા વિદ્યાર્થીઓના વાલી-પરિવારો જે ગુજરાતના વિવિધ

જિલ્લાઓમાં વસેલા છે તેમનો રાજ્ય સરકારનું રિલીફ કમિશનર તંત્ર સંપર્ક કરીને

સંબંધિત વિદ્યાર્થીઓની વિગતો મેળવશે. ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર

ખાતે આ માટે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.જે વાલી-પરિવારોના બાળકો

ચાઇનામાં અભ્યાસ માટે ગયેલા છે તે વાલી-પરિવારો પોતાના બાળકોની ત્યાંની વિગતો તથા

તેમને ગુજરાત પરત લાવવાની વ્યવસ્થાઓ માટે ગુજરાત રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન

સેન્ટર ગાંધીનગરનો સંપર્ક કરી શકશે.

કોરોના વાયરસને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં જો ચાઇનાથી આ વિદ્યાર્થીઓ

ગુજરાત પરત આવવા ઇચ્છતા હોય તો તેમને મદદ અને જરૂરી વ્યવસ્થાઓ તથા સ્વાસ્થ્ય

સુરક્ષાની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર વિદેશ મંત્રાલય અને ભારત સરકારના પરામર્શમાં

રહીને હાથ ધરે તેવી સૂચના વિજય રૂપાણીએ મુખ્ય સચિવશ્રીને આપી છે.

આ હેતુસર, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને પ્રાપ્ત થતી વિગતો ભારત

સરકાર અને વિદેશ મંત્રાલયને મોકલીને ચાઇનાથી ગુજરાતના યુવાનોને પરત લાવવાની જરૂરી

વ્યવસ્થાઓનું સંકલન હાથ ધરવામાં આવશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, આવા વિદ્યાર્થીઓને ગુજરાત-ભારત પરત

આવ્યા બાદ જરૂર જણાયે જરૂરી આરોગ્ય સારવાર અને પરિક્ષણ માટે આરોગ્ય વિભાગમાં ડૉ.

ઉમંગ મિશ્રા ૯૮૭૯૫૪૯૫૧૬ તથા ૦૭૯-૨૩૨૫૦૮૧૮ ટેલિફોન નંબર ઉપર સંપર્ક કરવાથી આરોગ્ય

સેવાઓ પણ પૂરી

સંપર્ક આ હેતુસર જે સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે તે મુજબ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કંટ્રોલરૂમ ૦૭૯-૨૩૨૫૧૯૦૦ તેમજ નાયબ કલેકટરનો ૯૯૭૮૪૦૫૭૪૧, ૯૦૯૯૦૧૬૨૧૩ અને મામલતદારનો ૯૯૭૮૪૦૫૭૪૩નો સંપર્ક કરી વિગતો આપી શકાશે.

Next Story