Connect Gujarat
ગુજરાત

કોરોના વાઈરસ : રાજ્યમાં અપડેટ આંકડા 24 કલાકના અંતરે જણાવવામાં આવશે: આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ

કોરોના વાઈરસ : રાજ્યમાં અપડેટ આંકડા 24 કલાકના અંતરે જણાવવામાં આવશે: આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ
X

આજથી રાજ્યમાં કોરોના વાઈરસના અપડેટ આંકડા 24 કલાકના અંતરે જણાવવામાં આવશે. રાજ્યમાં દરરોજ 3 હજાર ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટમાં કોઇપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી. પહેલા જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતા તેટલા જ ટેસ્ટ કરાશે.

દરરોજના 3 હજાર ટેસ્ટમાંથી 2500 ટેસ્ટ અલગ-અલગ વિસ્તારમાં કરવામાં આવશે જ્યારે 500 ટેસ્ટ ક્વૉરન્ટીન કરવામાં આવેલા લોકોમાં કરાશે. મૃત્યુ પામનાર 67 દર્દીમાંથી 60 દર્દી બિમારીથી પીડાતા હતા. ડાયાબિટીસ અને ટીબી જેવી ગંભીર બિમારીઓના કારણે રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. ગંભીર બિમારી હોય એ લોકોએ વધારે ધ્યાન રાખવું પડશે. વૃદ્ધો અને બાળકો બહાર ન નીકળે તેમ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે

Next Story