Connect Gujarat
Featured

કોવિડ19 : રાજ્યમાં આજે 1414 દર્દીઑ થયા સાજા, નવા 1175 કેસ નોધાયા

કોવિડ19 : રાજ્યમાં આજે 1414 દર્દીઑ થયા સાજા, નવા 1175 કેસ નોધાયા
X

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના વધુ 1175 નવા પોઝિટિવ કેસ નોધાયા છે. અને આજે વધુ 11 દર્દીના મોત થયા છે. રાજ્યમાં આજે 1414 દર્દીઑને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,55,098 પર પહોંચી છે. અને કોરોનાથી કુલ મૃત્યુઆંક 3598 થયો છે.

ગુજરાત રાજ્યમાં આજે 1175 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 174, અમદાવાદ કોર્પોરેશનમાં 165, રાજકોટ કોર્પોરેશનમાં 78, વડોદરા કોર્પોરેશનમાં 77, રાજકોટ કોર્પોરેશનમાં 76, જામનગર કોર્પોરેશનમાં 60, વડોદરામાં 40, મહેસાણામાં 37, રાજકોટમાં 29, અમરેલીમાં 28, ગાંધીનગર કોર્પોરેશનમાં 27, ભરૂચમાં 25, જામનગરમાં 25, પાટણ 23, સુરેન્દ્રનગર 23, જુનાગઢમાં 21, જુનાગઢ કોર્પોરેશનમાં 20, કચ્છમાં 20 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે 11 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1, પાટણમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, સુરતમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં આજે 1414 દર્દીઑએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે રાજ્યમાં આજે 50,993 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 51,65,670 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 88.04 ટકા છે. રાજ્યમાં હાલ 14,959 એક્ટિવ કેસ છે, જ્યારે 1,36,541 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 79 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,880 લોકો સ્ટેબલ છે.



Next Story