Connect Gujarat
સમાચાર

કોવિડ-19 : રાજ્યમાં આજે 1510 નવા કેસ નોધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર

કોવિડ-19 : રાજ્યમાં આજે 1510 નવા કેસ નોધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર
X

રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1510 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર પહોંચી છે. જ્યારે વધુ 16 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3892 પર પહોંચ્યો છે.

રાજ્યમાં આજે કોરોનાના 1510 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 323, સુરત કોર્પોરેશનમાં 219, વડોદરા કોર્પોરેશનમાં 141, રાજકોટ કોર્પોરેશનમાં 83, સુરતમાં 67, બનાસકાંઠા 47, પાટણ 46, રાજકોટ 45, મહેસાણા 43, વડોદરા 40, ગાંધીનગર કોર્પોરેશનમાં 38, ગાંધીનગર 36, ખેડા 32, પંચમહાલ 26, અમદાવાદ 24, નર્મદા 24, અમરેલી 23,ભરૂચ 21, જામનગર 21, મહીસાગર 21, આણંદ 19, દાહોલમાં 19 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે કોરોનાને કારણે 16 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 12, સુરત કોર્પોરેશનમાં 3 અને બોટાદમાં 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં હાલ 14044 એક્ટિવ કેસ છે, જ્યારે કુલ 182473 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 94 દર્દી વેન્ટીલેટર પર છે અને 13950 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 200409 પર પહોંચી છે.રાજ્યમાં આજે કુલ 1286 દર્દી સાજા થયા હતા અને 84625 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 73,89,330 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.05 ટકા છે.

Next Story