Connect Gujarat
Featured

કોવિડ-19 : રાજ્યમાં આજે 348 નવા કેસ નોધાયા,294 લોકોએ કોરોનાને મ્હાત આપી

કોવિડ-19 : રાજ્યમાં આજે 348 નવા કેસ નોધાયા,294 લોકોએ કોરોનાને મ્હાત આપી
X

રાજ્યમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 348 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 294 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધી કુલ 2,67,767 કેસ નોંધાઈ ચુક્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 4406 પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.69 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 261575 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં હાલ 1786 એક્ટિવ કેસ છે, જેમાંથી 31 લોકો વેન્ટિલેટર પર અને 1755 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે 348 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 69, વડોદરા કોર્પોરેશમાં 67, સુરત કોર્પોરેશન 61, રાજકોટ કોર્પોરેશન 44, જામનગર કોર્પોરેશન 8, રાજકોટ- 8, કચ્છ-7, આણંદ-6, ખેડા-6, મહીસાગર-6, અમદાવાદ-5, ગીર સોમનાથ-5, સુરત-5, ભાવનગર કોર્પોરેશન, ગાંધીનગર કોર્પોરેશન 4-4 કેસ નોંધાયા હતા. રાજ્યના 8 જિલ્લામાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.

ગુજરાતમાં અત્યાર સુધી 8,14,435 લોકોને પ્રથમ ડોઝ અને 72,713 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ શરુ કરવામાં આવ્યું હતું.

Next Story