Connect Gujarat
Featured

કોવિડ19 : રાજ્યમાં આજે 671 નવા પોઝિટિવ કેસ નોધાયા, 806 દર્દીઓ થયા ડિસ્ચાર્જ

કોવિડ19 :  રાજ્યમાં આજે 671 નવા પોઝિટિવ કેસ નોધાયા, 806 દર્દીઓ થયા ડિસ્ચાર્જ
X

રાજ્યમાં આજે કોરોના વાયરસના 671 નવા પોઝિટિવ કેસ નોધાયા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 4 દર્દીના મોત થયા છે. ગુજરાતમાં કુલ કેસોનો આંકડો 251944 પર પહોંચ્યો. સાથે કુલ મૃત્યુઆંક 4344 પર પહોંચ્યો છે.

રાજ્યમાં હાલ 7829 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,39,771 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 61 દર્દી વેન્ટીલેટર પર છે અને 7768 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે 671 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 123, સુરત કોર્પોરેશનમાં 103, વડોદરા કોર્પોરેશનમાં 90, રાજકોટ કોર્પોરેશનમાં 64, વડોદરા 27, સુરત-26, કચ્છ 20, રાજકોટ-18, દાહોદ 14, મહેસાણા 13, જામનગર કોર્પોરેશન-12, સાબરકાંઠા 12, બનાસકાંઠા 11 અને આણંદમાં 10 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, મોરબીમાં 1, વડોદરા કોર્પોરેશન-1 મોત સાથે કુલ 4 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.

રાજ્યમાં આજે કુલ 806 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 95.17 ટકા છે. રાજ્યમાં કોરોના માટે ઉપલબ્ધ પથારીઓ પૈકી 90 ટકા પથારીઓ ખાલી છે.

Next Story