વરસાદના કારણે અટકેલી ભારત અને ન્યુઝીલેન્ડની મેચમાં શું થશે આગળ ?
BY Connect Gujarat9 July 2019 2:16 PM GMT
X
Connect Gujarat9 July 2019 2:16 PM GMT
ભારત અને ન્યુઝીલેન્ડની મેચમાં વરસાદ વિઘ્ન બન્યો છે બે કલાક સુધીમાં મેચ ચાલુ ના થાય અને ન્યૂઝીલેન્ડની બેટિંગ ના આવે તો ઇન્ડિયાએ 46 ઓવરમાં 237 રન જીતવા માટે બનાવવા પડશે જો કે વરસાદ વધારે લંબાશે તો 20 ઓવરમાં 148 રનનો ટાર્ગેટ પણ મળી શકે તેમ છે
જો આજની મેચ વરસાદના કારણે રદ થાય તો આવતીકાલે રિઝર્વ ડેના દિવસે જ્યાંથી મેચ અટકી હોય ત્યાંથી જ શરુ થશે, આથી પહેલા રિઝર્વ ડેના દિવસે મેચ ફરીથી શરુ કરવામાં આવતી હતી પરંતુ આઈસીસી આ નિયમમાં ફેરફાર કર્યો છે જેથી મેચ આજે જ્યાંથી અટકી હશે ત્યાંથી જ આવતીકાલે શરુ થશે
રિઝર્વ ડેના દિવસે પણ વરસાદના કારણે મેચ રદ્દ થાય તો પોઇન્ટના આધારે ઇન્ડિયાને ફાઇનલમાં સીધો પ્રવેશ મળી શકે છે જયારે ICCના નવા નિયમ મુજબ વર્લ્ડ કપ 2019ની ફાઇનલ મેચના દિવસે તથા રિઝર્વ ડેના દિવસે વરસાદના લીધે રદ્દ થાય તો બંને ટિમ વર્લ્ડકપ ટ્રોફી શેર કરશે
Next Story