દાદરાનગર હવેલી : પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં લાગી અચાનક ભીષણ આગ, ફાયર ફાઇટરો દોડ્યા
BY Connect Gujarat26 Jan 2021 1:58 PM GMT
X
Connect Gujarat26 Jan 2021 1:58 PM GMT
દાદરાનગર હવેલીના મુખ્ય દ્વાર નજીક આવેલ પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સર્જાઈ હતી.
મળતી માહિતી અનુસાર, દાદરાનગર હવેલીના મુખ્ય દ્વાર નજીક આવેલ નટરાજ પ્લાસ્ટિક કંપનીમાં એકાએક ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. જોકે થર્મોકોલ અને પ્લાસ્ટિકના જથ્થામાં લાગેલ આગના કારણે આગની જ્વાળાઓ વધુ પ્રસરી હતી. બનાવની જાણ થતાં જ સેલવાસ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. લગભગ કલાકોની ભારે જહેમત બાદ વોટર બાઉઝરની મદદથી સમગ્ર આગ ઉપર કાબૂ મેળવવામાં ફાયર ફાઇટરોને સફળતા મળી હતી. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી, ત્યારે હાલ તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.
Next Story