Connect Gujarat
Featured

સંઘપ્રદેશ દાદરા-નગરહવેલીના સાંસદની જ “અવગણના” થતાં સ્થાનિકોમાં રોષ, જાણો શું છે સમગ્ર મામલો..!

સંઘપ્રદેશ દાદરા-નગરહવેલીના સાંસદની જ “અવગણના” થતાં સ્થાનિકોમાં રોષ, જાણો શું છે સમગ્ર મામલો..!
X

સંઘપ્રદેશ દાદરા અને નગરહવેલીના જિલ્લા પંચાયત સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચો દ્વારા સરકારી કાર્યક્રમમાં સાંસદ મોહન ડેલકરની જ અવગણના થઈ હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

સંઘપ્રદેશ દાદરા અને નગરહવેલી ખાતે થોડા દિવસો અગાઉ મિનિસ્ટર ઓફ હોમ અફેર્સ નિત્યાનંદ રાયના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક સાંસદ મોહન ડેલકરને આમંત્રિત ન કરાયા હોવાના આક્ષેપ સાથે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જોકે સ્થાનિક જન પ્રતિનિધિની અવગણના થતાં જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું, ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા આશ્વાસન આપવા આવ્યું હતું કે, આવી ભૂલ બીજી વાર નહીં થાય. અને સાથે સાથે તમામ પ્રોટોકોલનું ધ્યાન પણ રાખવામાં આવશે. હાલ આ તમામ ગતિવિધિઓને લઈને સંઘપ્રદેશનું રાજકારણ ઘણું ગરમાયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Next Story